
રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત બાદ વિરાટ કોહલી વિશે પણ એવા સમાચાર આવી રહ્યા છે કે તે હવે ટેસ્ટ ક્રિકેટમાં નહીં રમે..
Virat Kohli Test retirement : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે અને આ વિશે તેમણે બીસીસીઆઈને સૂચના પણ આપી દીધી છે. ત્યારે આવા સમયે હવે ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેઓ રમે તેની શક્યતા ખૂબ જ ઓછી છે. જોકે, બોર્ડના એક ઉચ્ચ સ્તરીય અધિકારીએ કોહલીને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. હવે જોવાનું એ રહે છે કે સિલેક્શન કમિટી જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરશે ત્યારે કોહલીના ભવિષ્ય અંગે શું નિર્ણય લેવામાં આવશે.
►આ પણ વાંચો : રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો નિર્ણય
વિરાટ પહેલા હિટમેન રોહિત શર્માએ બુધવારે (૭ મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ૭ મેના રોજ, તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને લાલ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું. જોકે, તેઓ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે. ૩૮ વર્ષીય રોહિત શર્માએ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ટી૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ ટી૨૦ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી, પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Sports News In Gujarati - Virat Kohli Will Retired from test format after
Rohit Sharma announced Retired from India test team International Test Cricket